Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

ચોટીલામાં બાળકોને જલેબી અને ચોરાફળીનું વિતરણ

વઢવાણ :ચોટીલામાં રામ-રહીમ ફાઉન્ડેશન સંચાલિત નિમિત્ત્। માત્ર સેવા અભિયાન અંતર્ગત દર રવિવારે ઝૂંપડપટ્ટીના બાળકો ને યુવાઓ દ્વારા તેમના વિસ્તારમાં જઈ બેસાડી ને ભરપેટ ભોજન અથવા નાસ્તો કરાવવામાં આવે છે. આ જ યુવાઓ દ્વારા વિજયાદશમી ના તહેવાર નિમિત્ત્।ે કુંદનભાઈ ના જન્મ દિવસ નિમિત્ત્।ે તેમના પિતા ગોપાલભાઈ રઘુભાઈ શિયાળીયા(નાના પાળીયાદ) તરફથી ઝૂંપડપટ્ટીના અંદાજે ૨૫૦ બાળકોને જલેબી અને ચોળાફળીનો ભરપેટ નાસ્તો કરાવવામાં આવ્યો હતો. આ સમયે નિમિત્ત્। માત્ર સેવા અભિયાન દ્વારા ચોટીલના કુંભારા સલાટ વસાહત, મફતીયાપરામાં આવેલ મારવાડી વસાહત, સપના હોટેલ સામેની સરણિયા વસાહત અને દુધેલી રોડ પરની ઝૂપ્પડપટ્ટી, ભવાની હોટલ પાસે આવેલ ઝુંપડા સહિત જગ્યા એ જઈને બાળકોને બેસાડીને ભરપેટ ચોરાફળી અને જલેબી જમાડવામાં આવ્યા હતા. આ વિતરણમાં  નિરાલીબેન ચૌહાણ, જયોતિબેન સિતાપરા, રમાબેન ડાંગર, ગીતાબેન વાઘેલા, પાયલબેન મોરી, મોહસીનખાન પઠાણ, વિરમભાઈ ડાંગર, રવિભાઈ ચાવડા, રોનકભાઈ બોડાણા સહિત યુવાઓએ આ કાર્યમાં ભાગ લીધો હતો. (તસ્વીરઃ ફઝલ ચૌહાણ ,વઢવાણ)

(11:59 am IST)