Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020
દ્વારકાધીશનાં અનન્ય ભકત ગોપાલભાઇ પરમારનું અવસાનઃ લૌકિક ક્રિયા બંધ

રાજકોટ : ગોપાલભાઇ છગનભાઇ પરમાર ઉ.વ. પ૩ તે સી. સી. પરમારના નાના પુત્ર તેમજ યોગેશભાઇ, ચકુબેન કે મજેઠયાના ભાઇ તેમજ પ્રયાગભાઇ, અભયભાઇના કાકાનું દુઃખદ અવસાન તા. ૩૦ ને શનીવારના થયેલ છે. સદ્ગતનું ટેલીફોનિક બેસણુ આજે ૩૧ સોમવારે શાપર વેરાવળ તેમના નિવાસ સ્થાને રાખેલ છે. સંપર્ક યોગેશભાઇ મો. ૯૮રપર ૧૮૮ર૬, પ્રયાગભાઇ ૯૭૧ર૦ ૪૩પર૩ નોંધનીય છે કે ભગવાન દ્વારકાધીશમાં અતૂટ શ્રધ્ધા ધરાવત હસમુખા અને પરોપકારી સ્વભાવનાં ગોપાલભાઇની અચાનક વિદાયથી સગા- સ્નેહીઓમાં શોકની લાગણી છવાઇ હતી.

ભાજપના ભૂતપૂર્વ કોર્પોરેટર વિનુભાઇ તળપદાનું અવસાન

રાજકોટઃ ભાજપના બેડીપરા  ચંપકનગર વિસ્તારના વર્ષો જુના ભાજપના અગ્રણી પૂર્વ કોર્પોરેટર અને રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના પૂર્વ સભ્ય શ્રી વિનુભાઈ તળપદા (ઉ.વ.૭૦)નું ગઇકાલે રાત્રે અવસાન થયેલ છે.

સ્વ. તળપદા ૧૯૯૨માં રાજકોટ મહાનગરપાલિકાની મોકૂફ રહેલી ચુંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે સ્પર્ધામાં હતા. ૧૯૯૫ માં મહાનગરપાલિકામાં  વોર્ડ ૧૮ માંથી કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. તેમજ રાજકોટ મહાનગર પાલિકા ની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય તરીકે ૨૦૦૫-૨૦૧૦ ની ટર્મ માં ચૂંટાયેલા હતા. સ્વ. તળપદા ભાજપના  દાયકાઓથી  ભાજપના કાર્યકર્તા તરીકે કાર્યરત રહેલ હતા.

સ્વ. વિનુભાઇના લઘુબંધુ અનિલભાઇ તળપદાના (મો. ૯૮ર૪૮ ૩૦૪પપ) જણાવ્યા મુજબ સ્વ. વિનુભાઇ ૭૦ વર્ષની ઉંમરે પણ સ્વસ્થ જીવન જીવતા હતા ગઇકાલે સાંજે ઘરે અચાનક તેમને હૃદય રોગનો તીવ્ર હુમલો આવતા પળવારમાં જ પ્રાણ  પંખેરૂ ઉડી ગયું હતું. વર્તમાન  કોરોનાની પરિસ્થિતિના કારણે બેસણું કે લૌકિક ક્રિયા રાખેલ નથી.

અવસાન નોંધ

બાર એસો.ના કારોબારી સભ્ય વિવેક ધનેશાના પિતાશ્રી લક્ષ્મીદાસનું અવસાન

રાજકોટ : રાજકોટ બાર એસોસીએશન પરિવારના કારોબારી સભ્ય શ્રી વિવેક ધનેશાના પિતાશ્રી લક્ષ્મીદાસ ધનેશાનું તા. ર૯-૮-ર૦ર૦ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે ટેલિફોનિક બેસણું તેમના નિવાસ સ્થાન જલારામ કૃપા ૧-૬ ગોપાલનગર કોર્નર ઢેબર રોડ રાજકોટ ખાતે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. મો. નં ૯૭૧૪૦ ૮૪૧૪૦ મો. ૭૩પ૯૩ પ૮૪૭૭

રમાબેન સિયાણી

રાજકોટ : રાજુભાઇ મોહનભાઇ સિયાણીના ધર્મપત્નિ રમાબેન રાજુભાઇ સિયાણી (ઉ.વ.૬ર) તે સ્વ. સંજયભાઇ તથા સતિષભાઇ, મનિષાબેનના માતુશ્રી તથા ઉમેશભાઇ રામજીભાઇ નસીતના સાસુનું તા. ર૯ ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલિફોનિક બેસણું આજે તા. ૩૧ સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. સતીષભાઇ ૯૩૭૬૮ ૯ર૯૯૯, રાજુભાઇ ૯૮ર૪ર ૯૧૯ર૧

લક્ષ્મીદાસ ધનેશા

રાજકોટ : લક્ષ્મીદાસ(લખુભાઇ) જાદવજીભાઇ ધનેશા (ઉ.વ.૬ર) તે અરવિંદભાઇના મોટાભાઇ, વિવેક ધનેશા (એડવોકેટ), દર્શનાબેન, પ્રિયંકાબેનના પિતાશ્રી તથા હિરેનકુમાર કારીયાના સસરા તા. ર૯ ને શનિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદા્ગતનું ટેલિફોનિક બેસણું  આજે તા. ૩૧ સોમવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. અરવિંદભાઇ જાદવજીભાઇ ધનેશા- ૯૭૧૪૦ ૮૪૧૪૦, વિવેકભાઇ લક્ષ્મીદાસ ધનેશા - ૭૩પ૯૩ પ૮૪૭૭

ગજેન્દ્રભાઇ ચૌહાણ

રાજકોટ : ગજેન્દ્રભાઇ રામજીભાઇ ચૌહાણ (ઉ.વ. ૮૩) તે વિજયભાઇ (લાલો) અને સીતાબેન, ચાંદનીબેનના પિતા તેમજ મુકેશભાઇના મોટાભાઇ અલ્પેશ, ભાવેશ, શૈલેષ, પ્રકાશના મોટાબાપુ તા. ર૮ ને શુક્રવાર સ્વર્ગવાસ થયેલ છે. તેનું ટેલિફોનિક બેસણું આજે તા.૩૧ ને સોમવારના રોજ ૪થી ૬ તેમના નિવાસ સ્થાને રાખેલ છે. કે.વી. રોડ, રણછોડનગર ગોંડલ ખાતે રાખેલ છે. ૯૮ર૪૬ ર૯૬૪૮, ૯૭ર૬૭ ર૦૦૪ર, ૯૮૯૮૬ ૮પ૩૪ર

મનહરલાલ આશરા

રાજકોટ : બ્રહ્મક્ષત્રિય શ્રી મનહરલાલ નરભેરામ આશરા (ઉ.વ.૮૦) તે વિમલ આશરા, ભરત આશરા તથા નીતા પ્રતિકુમાર સોનેજીના પિતાશ્રી અને જામનગર નિવાસી હાલ મુંબઇ સ્વ. રતિલાલ કલ્યાણજી બોસમિયાના જમાઇનું તા. ર૯ના રોજ અવસાન થયું છે. હાલની વૈશ્વિક પરિસ્થિતિને અનુલક્ષીને ટેલિફોનિક બેસણું તા. ૩૧ સોમવારના રોજ રાખેલ છે. ફોનઃ ૯૪ર૬૯ ૬૯પ૦૧, ૯૪ર૭પ ૬ર૭ર૯, ૬૩પ૩૧ ર૩૯૭૯

પૃથ્વીપાલસિંહ જાડેજા

રાજકોટ : ગોંડલ નિવાસી પૃથ્વીપાલસિંહ રામસિંહ જાડેજા (ઉ.વ.પ૪) તે રામસિંહ હેમુભા જાડેજાના પુત્ર તથા ખોડુભા હેમુભા જાડેજા, ચંદ્રસિંહ હેમુભા જાડેજા, ઘનશ્યામસિંહ હેમુભા જાડેજા (જી.એચ. જાડેજા-નોટરી)ના ભત્રીજા તથા જયદેવસિંહના પિતાશ્રીનું તા. ર૯ના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાને લઇને તેમનું ટેલિફોનિક બેસણું રાખેલ છે.

અમરદીપભાઇ નિમાવત

રાજકોટ : મુ. ભિયાળ સોરઠ, હાલ રાજકોટ અમરદિપભાઇ કુમુદદાસ નિમાવત (ઉ.વ.૪૩) તે કુમુદદાસ વસંતદાસ નિમાવતના પુત્ર, હિતેષભાઇ કુમુદદાસ નિમાવતના મોટાભાઇ અને સ્મિત અમરદીપભાઇ નિમાવતના પિતાનું તા. ૩૦નેરવિવારના રોજ અવસાન થયેલ છે. સ્વર્ગસ્થનું ટેલિફોનિક બેસણું આજે તા.૩૧ના રોજ સોમવાર સાંજે ૪ થી ૬ વચ્ચે રાખેલ છે. નિવાસ સ્થાન 'પંચવટી' રામેશ્વર પાર્ક શેરી નં.૧, રેલનગર, પોપટપરા પાસે રાજકોટ. હિતેષભાઇ મુકંુદદાસ નિમવાત(ભાઇ) : ૯૭૩૭૩ ૦૧૧૧૦

હસમુખલાલ દોશી

રાજકોટ : હસમુખલાલ માણેકલાલ દોશી તે સ્વ. માણેકલાલ કપૂરચંદ દોશીના પુત્ર તથા ચંદ્રિકાબેનના પતિ તેમજ સ્વ. બેચરલાલ કીરચંદ દોશીના જમાઇ તથા મહેન્દ્રભાઇ, નરેન્દ્રભાઇ, ચારૂલતાબેન રાજેન્દ્રકુમાર કોટીચાના ભાઇ તેમજ પરાગભાઇ, પારસભાઇના પિતા તથા બા.બ્ર. માલતીબાઇ મ.સ.ના (સંસારી) ભાઇ, બા.બ્ર. કોમલબાઇ મ.સ.ના (સંસારી) પિતા તેમજ અ.સૌ. ભૂમિબેન અને અ.સૌ. હેતલબેનના સસરા તથા એસા, માહી, નિષ્ઠા અને પ્રિન્સીના દાદા તથા કલ્પેશભાઇ અને શિલ્પાબેન આશિષકુમાર મહેતાના ભાઇજી તથા દિનેશભાઇ, ભરતભાઇ, સ્વ. રજનીભાઇ અને પ્રવિણભાઇના બનેવી તા. ૩૦ના રોજ અરિહંત  શરણ પામેલ છે. ટેલિફોનિક બેસણું તા. ૩ના રોજ સાંજે ૪ થી પ રાખેલ છે. મો.નં. ૯૯૯૮૮ પ૪ર૮ર

સનતકુમાર ઓઝા

રાજકોટઃ સનતકુમાર પ્રતાપરાય ઓઝા (ઉ.વ.૬૩) નિવૃત ઓકટ્રોય ઇન્સ્પેકટર (આર.એમ.સી.) તે આશાબેનના પતિ તથા યોગેશ કાંતીલાલ ઓઝા (નવલખી પોર્ટ)ના બનેવી તથા સાગર અને શ્વેતા રવિકુમાર ત્રિવેદીના પિતા તથા સ્વ. નરેન્દ્રભાઇ (જીવનબેંક), પ્રદીપભાઇ (રીટા. સેન્ટ્રલ એકસાઇઝ)ના લધુબંધુનું તા.૨૯ના શનિવારે (એકાદશી)ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું સોમવારે તા.૩૧ના રાખેલ છે.

મગનભાઈ પરમાર

રાજકોટઃ મગનભાઈ પોલાભાઈ પરમાર (ઉ.વ.૭૩) તે અશોકભાઈ (સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા), સ્વ.હિરેનભાઈ તથા નયનાબેન કલ્પેશભાઈ પટેલના પિતાશ્રી તથા ગોવિંદભાઈના ભાઈનું તા.૨૯ના અવસાન થયું છે.

સરોજબેન કુંડેલ

રાજકોટઃ સરોજબેન હરસુખલાલ કુંડેલ (ઉ.વ.૮૦) તે કૈલાસ મેડીકલ હાઉસવાળા હરસુખભાઈ કુંડેલના પત્ની તથા નવીનચંદ્ર કુંડેલના ભાભી તથા મનેષ કુંડેલના માતુશ્રીનું તા.૨૯ના અવસાન થયેલ છે.  તેમનું ટેલીફોનીક બેસણું તા.૩૧ના સાંજે ૫ થી ૬ કલાકે રાખેલ છે.

રાજેશભાઈ મણીયાર

રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય સ્વ.મનસુખલાલ મણીલાલ મણીઆરના પુત્ર રાજેશભાઈ જે ચિંતનભાઈ તથા ભકિતબેન નિતીનકુમાર મંકોડીયાના પપ્પા તથા ચન્દ્રકાંતભાઈ, રોહિતભાઈ, અશોકભાઈના ભાઈ જે ભુપતભાઈ હરજીવનદાસ બોસમીયાના જમાઈ તા.૨૮ને શુક્રવારે શ્રીજીચરણ પામેલ  છે. ટેલીફોનીક બેસણું તા.૩૧ સોમવારના સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. લૌકિક ક્રિયા મોકુફ રાખેલ છે. ચિંતનભાઈ મો.૯૬૩૮૧ ૮૧૪૧૭, રોહિતભાઈ મો.૯૮૭૯૩ ૩૧૭૭૮ રાજકોટ

નિરંજનાબેન રાણપરા

રાજકોટઃ સોની નિરંજનાબેન ઈશ્વરલાલ રાણપરા તે ઈશ્વરલાલ મણીલાલ રાણપરા (માણામોરાવાળા)ના ધર્મપત્ની (ઉ.વ.૬૮) તે જીતેશભાઈ તથા અશ્વિનભાઈ તથા ભારતીબેન ઘનશ્યામકુમાર રાધનપરા તથા સ્વ.સીમાબેન ધનેષકુમાર પારેખના માતુશ્રી તા.૨૯ શનિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૩૧ સોમવારે સાંજે ૪:૩૦ થી ૬ કલાકે રાખેલ છે. દયાળજીભાઈ મો.૯૬૬૪૭ ૮૯૯૧૯, જીતેશભાઈ મો.૯૮૭૯૭ ૮૪૧૦૯, અશ્વિનભાઈ મો.૯૭૨૬૧ ૧૫૧૧૪

નવટરલાલ વિસાણી

બગસરાઃ નટવરલાલ મોહનલાલ વિસાણી ઉં.વ.૭૬ તે નિલેશભાઈના. મામલતદાર બગસરા તથા કેતનભાઇ મારૂતિ આયુર્વેદિક સ્ટોર,(અમરેલી) ના પિતાશ્રી તેમજ ભુપેન્દ્રકુમાર કુમાર લીંબાણી (સરસીયા) ભુપેન્દ્ર કુમાર બગથળીયા ટી.ડી.ઓ. જામકંડોરણા, સુરજકુમાર રાવરાણી (સન મેટલ, રાજકોટ)ના સસરાનું તા. ૩૦ના રોજ અવસાન થયેલ છે. ટેલિફોનિક બેસણું તારીખ ૩ ને ગુરૂવાર ના રોજ રાખેલ છે. નિલેશ- ૯૪૨૮૭ ૯૫૦૪૦, કેતન - ૯૪૨૮૪ ૫૨૫૪૬

રતિલાલભાઇ ગોરેચા

ઉપલેટા :મુળ વાડાસડા હાલ ઉપલેટા નિવાસી, સ્વ. હંસરાજભાઈ લાલજીભાઈ ગોરેચા ના પુત્ર રતિલાલભાઇ ( ઉંમર વર્ષ-૭૦)તે વિપુલભાઈ, હિરેનભાઈ, તથા શિલ્પાબેન સમીર ખંભાયતાના પિતા તેમજ સ્વ. અમૃતભાઈ, કિશોરભાઈ તથા ચુનીભાઈના ભાઈ તથા સ્વ. વાલજીભાઈ મોહનભાઈ સિતાપરા (વાલાસણ) ના જમાઈ તા- ૨૯ને શનિવારના રોજ અવસાન પામ્યા છે. ટેલિફોનીક બેસણું તા. ૩૧ સોમવારના રોજ રાખેલ છે. વિપુલ રતિભાઈ ગોરેચા મો .૯૮૨૫૯ ૯૬૪૬૯

લક્ષ્મીબેન રામાવત

જોડિયાઃ  બાલંભા ગામ ના પ્રેસ પ્રતિનિધિ લલિતભાઈ નિમાવતના ફાઈબા લક્ષ્મીબેન ઓધવદાસ રામાવત ઉ.વ.૮૮નું તા.૨૮ ને શુક્રવારના રોજ રામ ચરણ પામેલ છે. સદગત નું બેસણું તા.૩ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ આમરણ તેમના નિવાસસ્થાને રાખવામાં આવેલ છે.

નેણશીભાઇ માણેક

મોરબી : મોરબી નિવાસી સ્વ. લક્ષ્મીચંદ મોતીભાઈ માણેકના પુત્ર નેણશીભાઈ લક્ષ્મીચંદભાઇ માણેક (ઉ.વ.૭૦) તે સ્વ. ચંદુલાલ લક્ષ્મીચંદ માણેકના નાનાભાઈ તથા વિજયભાઈ(રાજુભાઈ), ધર્મેશભાઈ, મનિષભાઈના કાકાનુ તા. ૨૯ શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનીક બેસણુ સોમવાર ૩૧ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

મગનભાઇ જેઠવા

ગોંડલ : મગનભાઈ નારણભાઈ જેઠવા ઉંમર ૯૩ તે ભાનુભાઈ, ભરતભાઈ, ધીરુભાઈ, મંજુબેન તથા પુષ્પાબેનના પિતાશ્રીનું તા.૩૦ના દુઃખદ અવસાન થયેલ છે . ટેલીફોનીક બેસણું તા.૩ ના સાંજે ૪ થી ૬ રાખેલ છે.

નરોતમભાઇ ગોહેલ

જેતપુર : મચ્છુ કઠીયા સઇ સુથાર નરોતમભાઇ માધવજીભાઇ ગોહેલ (ઉ.વ.૭પ) તે જયેશભાઇ, ચેતનભાઇ, અંજનાબેન, અરૂણભાઇ મકવાણા (રાજકોટ) ઇલાબેન જીતેન્દ્રકુમાર (રાજકોટ) આશાબેન તેજષકુમાર (સુરત)ના પિતાશ્રી તથા સ્વ. પ્રભુદાસભાઇ પીતાંબરભાઇ પરમાર (મોરબી)ના જમાઇ, સ્વ. પ્રભુદાસભાઇ વિઠલભાઇ સાંચલા (આમરણ)ના બનેવીનું તા.ર૭ના રોજ અવસાન થયું છે. ટેલીફોનીક બેસણું રાખેલ છે.

ભુગડોમલ મામતોરા

જેતપુર : ભુગડોમલ સોમજીમલ મામતોરા (ઉ.૯૩) તે ટોપણદાસ, લીલાભાઇના પિતાશ્રી, જયેશભાઇ, પરમાણંદભાઇ, દુર્ગેશભાઇ, ભરતભાઇ, ત્રિકમભાઇના દાદા તા. ર૯ ના રોજ અવસાન પામેલ તેનું બેસણું આજરોજ સાંજે ૪ થી ૬ નિવાસ સ્થાન જુનાગઢ રોડ, શાંતીનગર, અફલાતુન પાઉંભાજી વાળી ગલી, જેેતપુર ખાતે રાખેલ છે.

વજુભાઇ ચુડાસમા

જેતપુરઃ મોચી વજુભાઇ હિરાભાઇ ચુડાસમા (ઉ.૭૧) તે નિલેશભાઇના પિતા બાબુભાઇ, લવજીભાઇના લઘુબંધુ ભરતભાઇ ના કાકા, તેમજ પુરવ, ફેનીલના દાદા તા. ર૮ ના રોજ અવસાન પામેલ. ટેલીફોનિક બેસણુ આજરોજ સંાજે ૪.૩૦ થી ૬ કલાકે રાખેલ છે.

ભનુભાઇ સોલંકી

જુનાગઢ : મચ્છુ કઠીયા સઇ સુથાર જ્ઞાતિ માણાવદર વાળા સ્વ. ભનુભાઇ બાવાલાલ સોલંકી તે સ્વ. વલ્લભભાઇના નાનાભાઇ અને વિઠલભાઇ, જમનભાઇના મોટાભાઇ તથા સોલંકી લેડીસ ટેઇલર વાળા સુરેશભાઇ, સ્વ. વિનુભાઇ, નિલેશભાઇ તેમજ તથા મંજૂલાબેન દુર્લજીભાઇ સોલંકી (રાજકોટ) સુશીલાબેન અરવિંદકુમાર વાઘેલા (ધોરાજી), પુષ્પાબેન દીપકકુમાર પીઠડીયા (રાજકોટ), ઇન્દુબેન સુનિલકુમાર ધામેચા (કેન્યા) તેઓના પિતાશ્રી તેમનું ટેલીફોનિક બેસણુ તા. ૩૧ સોમવારના રોજ રાખેલ છે. તેમજ વિશાલ, વિમલ, કૌશિકના દાદાનું ર૯ મીએ અવસાન  થયું છે. સુરેશભાઇ સોલંકી મો. ૯૪૦૯૦ ૭૬પ૭ર નિલેશભાઇ સોલંકી ૯૯રપ૦ ૭૮૯૮૦, વિશાલભાઇ સોલંકી ૯૮૯૮૮ ૪૭૪૪૭, વીમલભાઇ સોલંકી ૯૬૮૭૬ ૬૮૭પ૭, કૌશિકભાઇ સોલંકી ૯૯૧૩૦ ૧૬૪૪૦

પૃથ્વીપાલસિંહ જાડેજા

ગોંડલઃ પૃથ્વીપાલસિંહ રામસિંહ જાડેજા (ઉ.વ.પ૪) તે રામસિંહ હેમુભા જાડેજાના પુત્ર તથા ખોડુભા, ચંદ્રસિંહ, ઘનશ્યામસિંહ (જી.એચ.જાડેજા નોટરી)ના ભત્રીજા તથા જયદેવસિંહના પિતાશ્રીનું તા.ર૯ને શનિવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાને લઇને તેમનું ટેલીફોનીક બેસણું રાખેલ છે.

નવીનચંદ્ર દેવાણી

ઉના : નવીનચંદ્ર છગનલાલ દેવાણી (ઉ.વ.૬ર) તે સતીશભાઇ, ચાંદનીબેનના પિતા, મિતલબેન યોગેશભાઇ કાનાબાર, આરતીબેન હિતેશભાઇ તન્ના, નયનાબેન ભાવિનભાઇના સસરાનું અવસાન થયું છે.  તાલાલા તેમના નિવાસ સ્થાને છે. કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદ્ગતનું ટેલિફોનિક બેસણું આજરોજ ૪ થી ૬ રાખેલ છે. સતીશ ૮૮૪૯૭ પ૯૭૩૭ અને ૯૯૦૪પ ૬રર૬૪

લાલાભાઇ મિયાત્રા

રાજકોટઃ ખીજડિયા (સણોસરા) નિવાસી રાયધનભાઇ મિયાત્રાના પુત્ર લાલાભાઇ (ઉ.વ.૩૭) તે ભાનુભાઇના ભાઇ, વિશાલભાઇ અને ગોપાલભાઇના કાકા તેમજ વિરાજભાઇના પિતાનું તા.ર૮મીએ અવસાન થયું છે.

રતીભાઇ સનુરા

રાજકોટઃ મુળ પરબવાવડી હાલ રાજકોટ રતીભાઇ મોહનભાઇ સનુરા તે જીજ્ઞેશભાઇ, દિપેશભાઇ, કેતનભાઇ, નિલેશભાઇના પિતાશ્રી તા.ર૯ના શ્રીજી ચરણ પામેલ છે. સ્વ.નું ટેલીફોનીક બેસણું આજે તા.૩૧ના રાખેલ છે. જીજ્ઞેશભાઇ મો. ૯૯૦૪૩ રર૪પ૭, દિપેશભાઇ મો. ૯૯૦૪૩ રર૪પ૬, કેતનભાઇ મો. ૯૭ર૩૪ ૮૦૦૦૩, નિલેશભાઇ મો. ૯૯ર૪૮ ર૩૭પ૮

લાભુબેન કુકડિયા

રાજકોટઃ સોરઠિયા પ્રજાપતિ સ્વ.લાભુબેન વીરજીભાઇ કુકડિયા (મૂળ કોલકી, હાલ રાજકોટ) તે વીરજીભાઇ ગાંગજીભાઇ કુકડિયાના પત્ની તે રતિલાલ ગાંગજીભાઇ કુકડિયાના ભાભી, પ્રફુલભાઇ, મહેશભાઇ, હિતેષભાઇ, વર્ષાબેનના માતુશ્રી, રામજીભાઇ જાદવના સાસુ, મયુર-ધૈર્ય-ધ્રુવના દાદીમાંનું તા.ર૯ને શનિવારે અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલિફોનિક બેસણું તા.૩૧ ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. વીરજીભાઇ મો. ૯૯૦૪૦ ર૧૭૧૮,  પ્રફુલભાઇ મો. ૯૮૭૯પ ૪ર૦૪પ, મહેશભાઇ મો. ૯૮રપ૪ ર૩૦૮૬, હિતેષભાઇ મો. ૯૩૧૬ ૪૦૩૪૧૦ - મહાકાળીકૃપા, જશરાજનગર શેરી નં.પ, ૧પ૦ ફૂટ રીંગ રોડ, ઉમિયા ચોક, રાજકોટ

વજુગીરી ગોસાઇ

રાજકોટઃ સાણથલી નિવાસી હાલ ગાંધીનગર વજુગીરી રતિગીરી ગોસાઇ (ઉ.વ.૬ર) તા.ર૮ના કૈલાસવાસ પામેલ છે. તે પ્રવિણગીરીના નાનાભાઇ (૯૮ર૪૮ ૩૯૭૪પ) ઉમેદગીરી (૯૮ર૪૯ ૧૬૪પ) રાજેશગીરી (૯૯૭૯૧ ૦૪૯૯૩)ના મોટાભાઇ તથા પાર્થગીરી (૮૧૪૧૬ ૬૯૭૬૮)ના પિતાનું ટેલિફોનીક બેસણું તા.૩૧ને સોમવારના રોજ ૪ થી ૬ રાખેલ છે.

રૂપાબેન મકવાણા

મોરબીઃ રૂપાબેન શીદીભાઇ મકવાણા (ઉ.વ.૯૦) તે દામજીભાઇ મકવાણા (સામાજિક કાર્યકર)ના માતાનું તા.ર૮ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૩૧ના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

લીલાબા જાડેજા

ગોંડલઃ મુ. ભુણાવા હાલ ગોંડલ નિવાસી લીલાબા ગુમાનસિંહ જાડજા (ઉ.વ.૮૧) તે અનિરૂદ્ધસિંહ (એ. જી. જાડેજા), સ્વ.જગદીશસિંહના માતુશ્રી તેમજ દિગ્વિજયસિંહ, હરપાલસિંહ, ભગીરથસિંહ, ધ્રુવરાજસિંહ, વિશ્વરાજસિંહના દાદીમાનું તા.ર૯ના રોજ અવસાન થયેલ છે. ટેલિફોનિક બેસણું તા.૩૧ ને સોમવારે (મો. ૯પ૧૦૧ ૭૭૭૭૪) રાખેલ છે.

ભરતભાઇ વાજા

ગોંડલઃ વાણંદ ભરતભાઇ નાથાલાલ વાજા (ઉ.વ.પ૯) તે સ્વ.નાથાલાલ ધનજીભાઇ વાજાના પુત્ર, દીપકભાઇના નાનાભાઇ, હરેશભાઇ, જયેશભાઇ, હિતેશભાઇ તથા સીખાબેન ભરતભાઇમારૂના મોટાભાઇ તથા વિવેક અને મિતેષના પિતા, પ્રશાંત તથા વૈભવના મોટા બાપુ, ભવ્યના દાદા, પરસોતમભાઇ નારણભાઇ ચૌહાણ (જસદણ)ના જમાઇનું તા.ર૯ના અવસાન થયું છે. ટેલિફોનિક બેસણું તા.૩૧ સોમવાર સાંજે ૪ થી ૬ દરમ્યાન રાખેલ છે. મો. ૯૭૩૭૧ પ૪૩ર૭.

રશ્મિતાબેન પુરોહિત

રાજકોટઃ ગિરીનારાયણ બ્રાહ્મણ મુળ રામોદ નિવાસી, હાલ રાજકોટ રશ્મિતાબેન (રીટાબેન) ઉ.વ.પપ (ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ, રાજકોટ) તે નિલેશકુમાર પ્રકાશચંદ્ર પુરોહિત (તલાટી કમ મંત્રી)ના પત્ની, આદિત્ય અને ભાર્ગવી જયકુમાર વાઢેરના માતાનું તા.ર૯ના રોજ અવસાન થયેલ છે. હાલની કોરોનાની પરિસ્થિીતને કારણે ટેલીફોનીક બેસણું તા.૩૧ના રોજ રાખેલ છે. મો. નં. ૯૪ર૬૯ ૯૬ર૮૬, ૯૪ર૯૩ ૭૬ર૮૬.