Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

ભાજપના નેતાઓ સામે પગલા ભરવાની માંગ સાથે કાલે કલેકટર કચેરીએ કોંગ્રેસના ધરણા

ભાજપે સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કર્યો અને ગાઇડ લાઇનનો ઉલાળ્યો કર્યોઃ વશરામભાઇ સાગઠીયા, ગાયત્રીબા વાઘેલા, મનસુખભાઇ કાલરીયા તથા અતુલ રાજાણીનો આક્રોશ

રાજકોટ, તા. ૩૧:  રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાદ્યેલા, ઉપનેતા મનસુખભાઈ કાલરીયા, દંડક અતુલભાઈ રાજાણીની સંયુકત અખબારી યાદી જણાવે છે કે દસ દિવસ પૂર્વે ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દ્વારા સૌરાષ્ટ્રભરમાં રેલીઓ કાઢી શકિત પ્રદર્શન કર્યું હતું ત્યારે કોરોના મહામારીની ગંભીર પરિસ્થિતિઓમાં સત્ત્।ાના મદમાં રાચતા ભાજપના નેતાઓએ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની જનતાને કોરોના મહામારીનો ભયંકર સંક્રમણ ફેલાવ્યું છે ત્યારે આવી ગંભીર બેદરકારી દાખવવાથી ભોળી જનતાને ભાજપ પક્ષે કોરોના સંક્રમણ ભેટમાં આપ્યું હોય તેવું લાગે છે કારણકે આ ગંભીર મહામારી ચાલી રહી હોય ત્યારે સમગ્ર દેશમાં તમામ ધાર્મિક તહેવારો, સામાજિક કાર્યક્રમો સહીતના મેળાવડા થતા હોય ત્યાં સરકારે રોક મુકયો છે ત્યારે ભાજપ પક્ષ દ્વારા ગુજરાત ભાજપના નવ નિયુકત પ્રમુખ દ્વારા પોતાની શકિત દેખાડવામાં સત્ત્।ાના નશામાં રાચતા નેતાઓ એ ગુજરાતની જનતાની દરકાર લીધી નથી.  સામાન્ય નાગરિકો પાસેથી માસ્ક ન પહેરવાના રૂ.૧,૦૦૦/- જેવો તોતિંગ દંડ વસુલવામાં આવી રહ્યો છે તેમજ દ્યાર્મિક અને લગ્ન પ્રસંગોમાં પાંચ કરતા વધુ વ્યકિતઓ હોય તેની પાસેથી રૂ.૨,૦૦૦/- થી રૂ.૨,૫૦,૦૦૦/- જેવો દંડ વસુલવા સરકાર દ્વારા હુકમો કરવામાં આવેલા છે ત્યારે આ ભાજપના નેતાઓ એ જયારે કાંડ કર્યો છે અને મહામારીનું સંક્રમણનો છડેચોક ફેલાવો કર્યો છે ત્યારે શા માટે સરકારી તંત્ર કોઈ કાર્યવાહી કરી નથી ? તેવા વેધક સવાલો પણ કર્યા છે.

 ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સામે કોવીડ-૧૯ ગાઈડલાઈન ભંગ કરેલ છે તેમજ સોસીયલ ડિસ્ટન્સ ન જાળવવા અને ૪ કરતા વધુ લોકો એકઠા કરવા, કલમ ૧૪૪ નો ભંગ કરવા બદલ ગુન્હો દાખલ કરવા અને કોરોના મહામારીનું સંક્રમણ ફેલાવવા સહિતના ગુન્હાઓ નોંધવા માટે અમારા દ્વારા તા.૨૧ અને તા.૨૬ ના રોજ ફરિયાદ રૂપી રજુઆતો પરત્વે કલેકટરશ્રી રાજકોટ દ્વારા તા.૨૬ કલેકટરશ્રી દ્વારા કહેવામાં આવેલ હતું કે બે દિવસમાં કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવેલ હતી અને બે દિવસ વીતી ગયા હોવા છતાં કોઈ જ કાર્યવાહી ન થતા નાં છુટકે અમારે ઉપવાસ-ધરણા કરવાની ફરજ પડી છે જેથી કલેકટર કચેરી ખાતે ગાંધીચિંધ્યા રાહે કોંગ્રેસ પક્ષના ચાર કોર્પોરેટરોને ઉપવાસ/ધરણાની મંજૂરી આપવા માંગણી કરેલ છે

(4:09 pm IST)