Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

જુનાગઢમાં સુરત અને કચ્છના બે પોલીસ કર્મીઓને શ્રધ્ધાંજલી અર્પિત

જુનાગઢઃ ગુજરાત રાજય ર્ંસુરત શહેર ખાતે ફરજ બજાવતા એ.એસ.આઇ. મોહનભાઈ કાળુંભાઈ બારીયા તથા કચ્છ પશ્ચિમ ભુજ જિલ્લા ખાતે ફરજ બજાવતા એ.એસ.આઇ. જસવંતકુમાર કિશનલાલ યાદવનું કોવિડ ૧૯ સંક્રમણના કારણે ર્ંતા.૪.૯.૨૦૨૦ તથા તા.૫.૯.૨૦૨૦ના રોજ અવસાર્નં થયેલ હતું. જેથી, જૂનાગઢ ર્ંજિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેર્ટ્ટીં ની સૂચના આધારે જૂનાગઢ ડીવાયએસપી કચેરી ખાતેં પ્રદીપસિંહ જાડેજા, રીડર પીએસઆઇ આર.કે.સાનિયા, એએસઆઇ સંજયભાઈ ગઢવી, હે.કો. મયુરભાઈ, દેવેન્દ્રસિંહ, ટ્રાફિક બ્રાન્ચના હે.કો. ઝવેરગીરી, અશોકભાઈ, કમાન્ડો ભગાભાઈ, સહિતના અધિકારીઓ તથા ડિવિઝનના તમામ સ્ટાફ તેમજ ટ્રાફિક શાખાના સ્ટાફ તથા ટીઆરપી જવાનો સાથે બે મિનિટ મૌન પાડી પ્રાર્થર્નાં કરવામાં આવેલ હતી. ઉપરાંત, ર્ંતમામ અધિકારીઓ તથા સ્ટાફને કોરોના સામેની લડાઈ લાંબી ચાલે તેમ હોઈ, પોતાની ફરજ દરમિયાન પૂરતી તકેદારી રાખર્વાં પણ જાણ કરવામાં આવેલ હતી.

(12:55 pm IST)