Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

કુલપતિ ડો.પેથાણીના પત્નિ જાનકીબેન અને પુત્ર નિસર્ગ કોરોનાથી સંક્રમિત

ત્રણેય કુલપતિ નિવાસસ્થાને હોમ આઈસોલેશનમાં : તબિયત સારી

રાજકોટ, તા. ૨૯ : કોરોનાગ્રસ્ત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગઈકાલે ભાજપ અગ્રણી ડો.ભાવીન કોઠારી અને કાર્યકારી કુલસચિવ જતીન સોની પોઝીટીવ આવ્યા હતા. ૩૫ થી વધુ કર્મચારીઓ હાલ હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે.

ગઈકાલે કુલપતિ ડો.નીતિનભાઈ પેથાણીના પત્નિ જાનકીબેન અને સુપુત્ર નિસર્ગને કોરોનાના લક્ષણો જણાતા કોવિડ-૧૯ રીપોર્ટ કરાવેલ જે પોઝીટીવ આવ્યો છે. બંનેને કુલપતિના નિવાસસ્થાને આઈસોલેશનમાં સારવાર આપવામાં આવી રહી છે. કુલપતિ નીતિનભાઈ પેથાણીની તબિયત સુધારા ઉપર છે.

(3:37 pm IST)